ફિલ્મ અભિનેતા અરબાઝ ખાને ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની સાથેના સંબંધને આખરે ખુલ્લેઆમ સ્વીકાર્યો છે. એટલું જ નહીં, અરબાઝે લગ્ન અંગે પણ ખુલાસો કર્યો છે. અરબાઝે આ પહેલાં ૨૦૧૭માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા અને તેમને એક દીકરો અરહાન પણ છે. તલાક બાદ આ બંને પોતાના રસ્તે આગળી વધી રહ્યા છે અને હવે તેઓ નવા રિલેશનમાં છે. અરબાઝ ખાને એક ઈન્ટરવ્યુમાં ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથે ડેટિંગની વાતો અને ટૂંક સમયમાં લગ્ન કરવાના અંગે તમામ અફવાનું ખંડન કર્યું છે. અરબાઝ કહે છે કે અમે એટલા માટે ડેટ નથી કરતાં કે અમે લગ્ન કરવા ઈચ્છીએ છીએ. પરંતુ અમે આ સંબંધ સાથે લઈ જવા ઈચ્છીએ છીએ. જો તમે પૂછશો કે હું આ સંબંધથી ખુશ છું તો હું કહીશ હા... હું જોર્જિયાને ડેટ કરી રહ્યો છું. આ માટે હું તેનો સ્વીકાર કરું છું. હું જો તેનો સ્વીકાર ન કરું તો મૂર્ખ જ ગણાઉં. અરબાઝ ખાન વધુમાં જણાવે છે કે મારા લગ્નના સમાચાર અંગે એટલું જ કહીશ કે સમય આવ્યે તમને નિમંત્રણ મળી જશે, હું જ તેની ઘોષણા કરીશ.