રિશી કપૂર અને રણબીર કપૂર વચ્ચે એક પાતળી દિવાલ છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં રિશિએ પણ આ વાત કબૂલી છે. તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે મેં જ હંમેશાં એક અંતર બનાવાના પ્રયાસ જ કર્યા છે. મારા પુત્રને મારા સ્વભાવ તેમજ વર્તણૂકથી માઠું લાગ્યું હોય એવું લાગે છે અને તે મારા કરતા તેની માતાની વધુ નજીક છે.
‘મેં હંમેશાં મારા પુત્ર સાથે એક અંતર જાળવી રાખ્યું છે. જોકે તે રણબીરને પસંદ નથી. તેથી તે મારા જેવો પિતા નહીં બને,’ તેમ રિશિએ તાજેતરમાં કબૂલ્યું હતું. ‘તે નાનો હતો ત્યારે હું કામમાં ગળાડૂબ રહેતો હતો અને મને એક પિતાની માફક તેની સાથે સમય પસાર કરી શકતો નહોતો. તેથી તે તે મારા કરતાં તેની માતાની વધુ નજીક છે. તે મારા જેવો પિતા બનવા નથી ઇચ્છતો’ તેમ પણ રિશિએ કહ્યું હતું.
રિશિએ વધુમાં કહ્યું હતું કે, ‘હું એવો પિતા ન બની શક્યો કે જે પુત્ર સાથે બેસીને તેની ગર્લફ્રેન્ડ અને તેની અંગત વાતોની ચર્ચા કરી શકે. મેં કદી મારા પિતા સાથે કદી દલીલ નહોતી કરી અને આવું જ મારી અને રણબીર સાથે પણ થયું હું અમારી વચ્ચે પ્રેમ અને સમ્માન ઇચ્છતો હતો.’