ફિલ્મકાર કે. બાલાચંદરનું નિધન

Monday 29th December 2014 05:37 EST
 

કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા પ્રતિભાશાળી કલાકારોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મકાર કે. બાલાચંદર (૮૪)નું ગત સપ્તાહે ચેન્નાઇમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. પોતાની ફિલ્મોમાં હિંમતભર્યા વિષયો, મહિલાઓના ઉદ્દેશો, દબાયેલા, કચડાયેલા વર્ગોને સમર્થન આપી ૭૦નાં દાયકાના પ્રારંભમાં તે સમયની સંબંધિત તમિલ ફિલ્મોથી ‘કેબી’ તરીકે લોકોમાં જાણીતા કૈલાસમ બાલાચંદર ટ્રેન્ડ સેટર હતા. તેમણે ‘એક દુજે કે લિયે’ જેવી અનેક યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter