શાહરુખને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા મંજૂરી

Monday 03rd August 2015 07:44 EDT
 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.

જોકે, પાંચ વર્ષનો પ્રતિબંધ ત્રણ વર્ષમાં કઈ રીતે ઉઠી ગયો એ પ્રશ્નનો જવાબ હજી અદ્ધરતાલ જ છે.

વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી સીપીએલ (કેરિબિયન પ્રીમિયર લીગ)માં શાહરુખખાનની ટીમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલ ચેમ્પિયન બની હતી આથી હવે તેની ખુશીમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter