૨૬/૧૧ના આતંકી હુમલામાં શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન પરથી ફિલ્મ બનશે

Friday 01st March 2019 06:20 EST
 
 

ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. સંદીપના જીવન પરથી હવે ફિલ્મ બનવા જઈ રહી છે. સંદીપના જીવન પર બનનારી ફિલ્મનું નામ ‘મેજર’ રાખવામાં આવ્યું છે. પ્રારંભિક ધોરણે આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં બનશે. ફિલ્મના ડિરેક્ટર શશિ કિરણ ટિક્કા હશે. સોની પિક્ચર્સ પહેલી વખત તેલુગુ ફિલ્મમાં ઉતરી રહી છે અને મહેશ બાબુ સાથે ફિલ્મને પ્રોડ્યુસ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter