ગાંધીનગરઃ પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ કરતાં રાજકીય વિવાદ સર્જાયો છે. આ નિર્ણયને ધારાસભ્ય હાઈ કોર્ટમાં પડકારવા તૈયાર થયા છે. ચૂંટણી ફોર્મ ભરતી વખતે ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોરે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાની ફરિયાદ કરી હતી. આદિજાતિ વિકાસ કમિશનર આર. જે. માંકડિયાના અધ્યક્ષપદે કમિટીએ તપાસને અંતે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય સામે ભૂપેન્દ્ર ખાંટે હાઈકોર્ટ જવાનું જાહેર કર્યુ છે.