દેશની એકતા, અખંડિતતાને બળ મળશેઃ અમિત શાહ

Wednesday 13th November 2019 06:10 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બેન્ચે અયોધ્યા કેસ અંગે ચુકાદો આપ્યો તેને ગૃહ પ્રધાન અમિત શાહે આવકારીને કહ્યું હતું કે આ નિર્ણયને સહજતાથી સ્વીકારવામાં આવે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા કોર્ટના નિર્ણયને હું આવકારું છું. હું તમામ સમુદાયો-ધર્મના લોકોને અપીલ કરું છું કે આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સૌહાર્દથી પરિપૂર્ણ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના પોતાના સંકલ્પ પ્રત્યે કટિબદ્ધ રહીએ. બીજા ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે દાયકાઓથી ચાલતા રહેલા આ કાયદાકીય વિવાદનો આખરે અંત આવ્યો છે. આથી દેશની એકતાને, અખંડિતતાને બળ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter