સંસ્થા સમાચાર

Tuesday 09th December 2014 13:23 EST
 

* સરસ્વતી ભવન દ્વારા સમગ્ર યુકેમાં કોઇ પણ સ્થળે ક્રિસમસ અને ન્યુ યર કે પછી અન્ય તમામ પ્રસંગો માટે આપના ઘરે આવી ગાર્ડનમાં ફ્રેશ ઢોંસા બનાવી આપવામાં આવશે. ક્રિસમસ પાર્ટીનું બુકિંગ ચાલુ છે. સંપર્ક: 07748 63 62 64 જુઅો જાહેરાત પાન નં. ૧૮.

* ખીમદાસ બાપુના ઘરે તા. ૧૩-૧૨-૧૪ના શનિવારે પુનમના ભજન થશે. ગુરૂ ગમ માનસ ગાથાનો લાભ મળશે. બાપુનો જન્મ દિવસ શુક્રવારના રોજ આવનાર હોવાથી જન્મ દિવસની પણ ઉજવણી કરાશે.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૧૨-૧૪ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી, સુનિતાબેન મંગલાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી ખાતે બોક્સિંગ ડે, શુક્રવાર ૨૬-૧૨-૧૪ના રોજ LCWL દ્વારા ભજન અને ભોજનના કાર્યક્રમનું આયોજન બપોરના ૧થી સાંજના ૫ સુધી કરવામાં આવ્યું છે. તા. ૧-૧-૧૫ના રોજ નુતન વર્ષે ભજન અને ભોજનનો કાર્યક્રમ બપોરના ૪થી રાત્રિના ૧૦ સુધી થશે. ૧૦૮ સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન રવિવાર તા. ૪-૧-૧૫ બપોરના ૨થી સાંજના ૫ સુધી. તે પછી પ્રસાદનું વિતરણ કરાશે. સંપર્કઃ મંદિર 020 8902 8885.

* સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા તા. ૧૪મી ડીસેમ્બર, ૨૦૧૪ના રોજ બપોરે ૪થી ૮ દરમિયાન કડવા પાટીદાર સમાજ હોલ, કેન્મોર એવન્યુ, હેરો ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા ઉપસ્થિત રહેનાર છે. ભોજનનો લાભ મળશે. સંપર્ક: મહેન્દ્રસિંહ જાડેજા 07956 337 898 – જુઅો જાહેરાત પાન ૨૬)

* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા ન્યુ યર ઇવ કાર્યક્રમનું આયોજન તા ૩૧-૧૨-૧૪ના રોજ ટોલવર્થ રીક્રિએશન સેન્ટર, KT6 7LQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: અનિલા 020 8395 4164.

* શ્રી સ્વામીનારાયણ મંદિર, કાલુપુર દ્વારા શ્રી નરનારાયણ મહોત્સવનું આયોજન તા. ૨૪થી ૨૮ ડીસેમ્બર, ૨૦૧૪ દરમિયાન શ્રી નારાયણ નગર, તપોવન સર્કલ, મોટેરા ગામ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: +91 79 2213 2170.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા. ૨૧-૧૨-૧૪ના રોજ ભજન ભોજન કાર્યક્રમનું આયોજન સવારે ૯-૩૦થી બપોરેના ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.

અતિથિ વિશેષ: સંતશ્રી ઋષિજી મહારાજ

શ્રી દેવકુબા આશ્રમ, અરડોઇ, જી. રાજકોટના વેદાંતાચાર્ય સંતશ્રી ઋષિજી મહારાજ (ગોલ્ડ મેડાલીસ્ટ) અને સાધ્વી તપસ્વીની મૂર્તિ શ્રી વિશ્વેશ્વરી માતાજી યુકેના પ્રવાસે પધાર્યા છે. તેઅો કથા, શ્રીમદ ભાગવદ્ તેમજ શ્રી રામયાયણ અને શ્રી દેવી ભાગવતનો લાભ આપશે. સ્વામી શ્રી ભરતમાં ત્રણ વખત વેદાંત પર ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે.

આપણા અતિથિ: શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા

સરગમ ક્લબ, રાજકોટવાળા શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા આગામી તા. ૧૭થી ૨૬ ડીસેમ્બર, ૨૦૧૪ દરમિયાન લંડનની મુલાકાતે પધારનાર છે. સંપર્ક: ગુણવંતભાઇ 01831 898 282.

000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter