ભારતના વિદેશ પ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજે ઓડિયન્સને સંબોધતાં કહ્યું હતું કે, આ ખંડમાં પોતાના પસંદગીના ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા બ્રિટિશ ઈન્ડિયન્સની હાજરીથી હું આનંદિત છું.
ભારતીયો શ્રેષ્ઠતા દર્શાવી ન હોય તેવો એક પણ વ્યવસાય નથી. તમે આ દેશ માટે ગૌરવ લાવ્યા છો એટલું જ નહીં, તમારા વતન ભારતને પણ તમે ગૌરવાન્વિત કર્યું છે. અમે તમને યુકે સાથેની અમારી ભાગીદારીના મજબૂત સ્તંભ તરીકે માનીએ છીએ. મારાં અહીંના રોકાણમાં મેં બ્રિટિશ ભારતીયોની સફળતાની ગાથાઓ સાંભળી છે. હું પ્રભાવિત થઈને ભારત જઈશ. ભારતીય ડાયસ્પોરા સાથે ભારતની સક્રિય કામગીરી ઉજ્જવળ ભવિષ્ય લાવશે. તેની ખાતરી છે.
બ્રિટિશ ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે ભારતની નવી સરકાર દ્વારા આ પ્રથમ રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસના યજમાન રાષ્ટ્ર તરીકે યુકેની પસંદગી કરાયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
