કુંતલ પટેલના મનમાં માતાની હત્યા અને આત્મહત્યાનો જ વિચાર

Tuesday 30th September 2014 07:40 EDT
 
 
Subtitle

લાગણીથી ગળગળાં સાદે કુંતલે જ્યુરી સમક્ષ જણાવ્યું હતું કે,‘ મારી માનસિક હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. મને આત્મહત્યા અને મારી માતાની હત્યાના જ વિચારો આવતાં હતાં.’ શા માટે કાતિલ ઝેર મેળવ્યું તે પ્રશ્નના જવાબમાં કુંતલે કહ્યું હતું કે,‘મારો ઈરાદો આત્મહત્યા કે માતાની હત્યા માટે એબ્રિન ખરીદવાનો હતો. ડ્રિન્કમાં તેને મેળવીને પીવાથી વ્યક્તિને ફ્લુ થાય અને થોડાં દિવસમાં તેનું મોત થાય તેમ હું માનતી હતી.’

ભાવનાત્મક અને શારીરિક શોષણથી ત્રાસીને કુંતલે માતાની હત્યાનો નિર્ણય લીધો હતો. બચાવપક્ષના વકીલ પીટર રોલેન્ડ્સના પ્રશ્નના ઉત્તરમાં કુંતલે જણાવ્યું હતું કે,‘માતાનાં મોત પછી મારી જિંદગી ધૂળધાણી થઈ હોત અને કદાચ મેં પણ આપઘાત કરી લીધો હોત.’

Caption

પટેલ મીના, પટેલ કુંતલ


    comments powered by Disqus