૬૦૦ વર્ષ કરતા પણ વધુ જુના સિક્કાની પૂજા કરતો જોશી પરિવાર

Saturday 04th October 2014 10:29 EDT
 
હેકનીના શેકલવેલ લેન પર રહેતા અને ન્યુઝ એજન્ટ શોપ ધરાવતા ચંદુલાલ જોશીનો પરિવાર છેલ્લા ૧૦૦ કરતા વધારે વર્ષથી આજની તારીખે અલભ્ય એવા ૧૪મી સદીના ચાંદીના સિક્કાની પૂજા કરે છે.

ધ બ્રિટિશ મ્યુઝીયમની નોંધ મુજબ શ્રી જોષી પાસે જે સિક્કો છે તે લગભગ ૧૪થી ૧૬મી સદીનો છે અને તેને 'રામટંકા' તરીકે અોળખવામાં આવતો હતો. આ સિક્કો ૧૪થી ૧૬મી સદીમાં દક્ષિણ ભારતના વિજયાંગા રાજાઅોએ બહાર પાડ્યો હતો. આ સિક્કામાં ભગવાન રામ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા ઉપસાવવામાં આવી છે. આ પ્રકારના અમુક સિક્કાઅો પર અન્ય પ્રતિમાઅો તેમજ શિખ ધર્મને દર્શાવતી ડીઝાઇન પણ અંકિત કરાઇ છે.

ચંદુલાલ જોશીના જણાવ્યા મુજબ આ સિક્કો તેમના પિતા મગનલાલ નારણજી જોશી પાસે ૧૦૦ વર્ષથી હતો અને તેઅો તેની પૂજા કરતા હતા. પારિવારીક પરંપરા મુજબ પૂજા કરતા ચંદુલાલને આ સિક્કાના મહત્વની ખબર નહોતી. પરંતુ એક દિવસ તેમણે દુકાને વેચાણ માટે આવેલી મનીબુકમાં આ સિક્કાની તસવીર જોતા ઉપર ઘરે જઇને મંદિરમાંથી સિક્કો કાઢી તેને મેચ કરતા તેમને આ સિક્કો અલભ્ય હોવાનું જણાયું હતું.

000000

લંડનના કેન્ટન-હેરો ખાતે હરિધામ યુ.કે. મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો

ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીશ્રીની ૨૭ વર્ષોની તપશ્ચર્યા અને અથાક વિચરણની ફળશ્રુતિ સ્વરૂપે લંડનની ધરતી પર ‘હરિધામ-યુકે’ મંદિર અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ તા. ૨૧-૯-૨૦૧૪ રવિવારના રોજ પ.પૂ. સ્વામીશ્રીની સાન્નિધ્યમાં ખૂબ જ ભક્તિભાવપૂર્ચક ઉજવાયો હતો. આ પ્રસંગે યુકે ઉપરાંત જર્મની, યુ.એસ.એ. કેનેડા, પેરીસ, બેલ્જીયમ, ભારતથી આમંત્રિત મહેમાનો, હરિભક્તો સહિત ૧૨૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સવારે ૯-૪૫ કલાકે પૂ. હરિપ્રસાદ સ્વામીએ નવનિર્મિત હરિધામ મંદિરના પરિસરને હેરો-બ્રેન્ટની જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે શ્રી ઠાકોરજીની મહાપૂજા કરાયા બાદ સૌ મહેમાનોએ શ્રી ઠાકોરજીને પુષ્પાંજલિ અર્પણ કરી પૂ. સ્વામિશ્રીનું સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીએ નવનિર્મિત હરિધામ મંદિરના શ્રી ઠાકોરજીની મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરી આરતી ઉતારી હતી.

પૂ. સ્વામીશ્રીએ આશીવર્ચન આપી સૌ વડીલો અને મહેમાનોને આત્મીય યુવા મહોત્સવમાં પધારવા આમંત્રણ આપી જીવનમાં સંતની અનિવાર્યતા વિશે સમજાવતા કહ્યું કે 'સંત સાથે મૈત્રી હશે તો જીવનમાં શુભવિચારો અને નિર્ભયતાનો ઉદય થશે. જીવન સરળ બનશે. આત્માની યાત્રા પ્રભુ તરફ નિરંતર રહે તે માટે સંત સાથે મૈત્રી અનિવાર્ય છે. હક્ક, માન, ઈર્ષા જેવા રોગોમાંથી મુક્તિ મળશે.'

એમ.પી. શ્રી બોબ બ્લેકમેન અને બ્રેન્ટના મેયર શ્રી કાના નારીરાધન તેમજ અન્ય અગ્રણીઅોએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના તંત્રી શ્રી સી.બી. પટેલે પણ શુભ અવસરે મંદિરના નિર્માણને આવકારી સ્વામીશ્રી તથા યોગી ડિવાઇન સોસાયટીના યુવાનોની સામાજિક પ્રવૃત્તિઓની આછેરી ઝલક આપી એમને બિરદાવ્યા.

આ પ્રસંગે પૂ. ગુરૂપ્રસાદ સ્વામીજીએ યોગી ડિવાઈન સોસાયટી અને સ્વામીશ્રીની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઅો અંગે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુ.કે.ના તમામ યુવક મંડળો અને બહેનોએ અવિરત મહેનત અને ભક્તિનું દર્શન કરાવ્યું.

આ પ્રસંગે બ્રેન્ટ કાઉન્સીલના મેયર શ્રી કાના નારીરાધન, હેરો કાઉન્સિલના મેયર શ્રી અજય મારૂ, એમ.પી. શ્રી બોબ બ્લેકમેન, અનુપમ મિશન વતી પૂ. શાંતિભાઇ, પૂ. હિંમત સ્વામી, ગુણાતિત જ્યોત યુ.કે.થી પૂ. હરિશભાઈ, ગુજરાત સમાચારના તંત્રી શ્રી સી.બી. પટેલ, હિન્દુ ફોરમ અોફ બ્રિટનના પ્રમુખ શ્રી હરિભાઈ હલાઈ, સંગત સેન્ટરના શ્રી કાંતિભાઈ નાગડા ખાસ હાજર રહ્યા હતા. (સંકલન- અજય પટેલ, લંડન)

૦૦૦૦૦૦૦૦૦

મૂર્તીની પ્રાણપ્રતિષ્ઠા કરતા પૂ. હરીપ્રસાદ સ્વામીશ્રી

૦૦૦૦૦૦૦

કચ્છી લેવા પટેલના સમાજનું વાર્ષિક અધિવેશન યોજાયું

'૨૧૯ મેલા'ની સૌએ મોજ માણી

શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટીનું વાર્ષિક અધિવેશન અને '૨૧૯ મેલા'નું શાનદાર આયોજન રવિવાર તા. ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ નોર્થોલ્ટ સ્થિત શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનીટી સેન્ટર ખાતે યોજાયું હતું જેમાં સાડા આઠેક હજાર કચ્છી પટેલો પરિવાર સહિત ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સૌ પ્રથમ વખત બ્રિટન અને ભારતના વિવિધ સ્વામિનારાયણ મંિદરોના ટ્રસ્ટીઅો-અગ્રણીઅો અને ચોવીસી ગામ ગૃપેોએ સક્રિય ભાગીદારી દ્વારા અનેરી એકતાના દર્શન કરાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ત્રણ પેઢીથી બ્રિટનમાં વસેલા આશરે ૩૬,૦૦૦ લેવા પટેલોએ 'સમાજ અમારી શક્તિ, સંગઠન અમારી ભક્તિ' સૂત્રને ચરિતાર્થ કરી સંસ્થાના સેન્ટરની ખરીદી વખતે સમાજના સદસ્યો પાસેથી લેવાયેલ લોનની £૨,૧૯,૦૦૦ની રકમ સામે £૨,૯૨,૦૦૦નું ભંડોળ એકત્ર કરી સમાજ માટે વિવિધ વિકાસ કાર્યો અને આયોજનો કરવાના કોલ આપ્યા હતા. આનંદની વાત એ છે કે કાર્યક્રમની તારીખ ૨૧-૯ હતી, લોનની રકમ પણ £૨૧૯ હજાર હતી અને તેને માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજાયેલ કાર્યક્રમનું નામ પણ '૨૧૯ મેલા' અપાયું હતું. પરંતુ આનંદ સાથે આંકડાના ક્રમમાં ફેરબદલ થઇ હતી અને દાનની રકમ £૨૯૨,૦૦૦ને પાર કરી ગઇ હતી.

આ પ્રસંગે વિવિધ સંતો અને અગ્રણીઅોની ઉપસ્થિતીમાં યોજાયેલ સામાજિક ચિંતન શિબીરમાં વિધર્મી પાત્રો સાથે થતા લગ્નો અને સંબંધોને ટાળવા માટે સંતાનોને નર્સરીથી હાઇસ્કૂલ કક્ષાનું શિક્ષણ ભારતીય સંસ્કૃતિ સાથે આપવા અપીલ કરી આ માટે બ્રિટનના શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ય શાળાના નિર્માણનો સંકલ્પ કરાયો હતો. તો બીજી તરફ સ્ટેટ અોફ ધ આર્ટ કોમ્યુનિટી સેન્ટર અને હોલ માટે કાઉન્સિલમાં પ્લાનીંગ પરમીશન મૂકવાની જાહેરાત કરાઇ હતી.

સમાજના પ્રમુખ માવજીભાઇ ધનજી વેકરિયાએ સમાજની વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓનો ગુજરાતી તેમજ ઇંગ્લીશમાં ચિતાર આપી સર્વે દાતાઅો, કાર્યક્રમને સફળ બનાવનાર સર્વે કાર્યકરો, સૌ જ્ઞાતિજનોનો આભાર માની ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, વરિષ્ઠ સંત પુરાણી પ્રેમપ્રકાશદાસજી, પુરાણી બાલકૃષ્ણદાસજી, બ્રિટન તેમજ ભારતના વિવિધ મંિદરો, ધાર્મિક સંસ્થાઓ, ૨૪ ગામના વિવિધ જૂથો, ભૂતપૂર્વ સ્વર્ગસ્થ પ્રમુખ અરજણભાઇ કરશનદાસ વેકરિયા, શ્રેષ્ઠી કેશવલાલ ભુડિયાના સેવાકાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે શ્રી વેકરિયાએ લંડન 'ગુજરાત સમાચાર'ના તંત્રી સી.બી. પટેલ, એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમાર, કે.એમ. વરસાણી, સ્થાપક પ્રમુખ કુંવરજી કરશન વરસાણીથી માંડીને અત્યાર સુધીની તમામ કમિટીના પ્રમુખ તેમજ કારોબારી સદસ્યો, દાતાઅો, સહયોગીઓની સેવાઅો અને મદદની નોંધ લઇ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ભુજ લેવા પટેલ સમાજ પ્રતિનિધિ તરીકે એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયા, મહિલા પ્રતિનિધિ પુષ્પાબેન પીંડોરિયા, દાતા આર.ડી. વરસાણી (નાઇરોબી), શ્રેષ્ઠી દેવશી કરશન હાલાઇ, વસંત પટેલ, ઇંલિગના કાઉન્સિલર શ્રી તેજપાલ, મેયર ઓર્બોનેટ, અલ્ડરોમેન રિચર્ડ (હેરો), મિસીસ જુલિયન, જશોદાબેન પીંડોરિયા, સફળતા પ્રાપ્ત કરનાર જ્ઞાતિના યુવક-યુવતીઓ, સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓનું ખાસ સન્માન કરાયું હતું.

શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી, અરજણ પીંડોરિયા, વિલ્સડન મંિદર વતી ટ્રસ્ટી કાનજીભાઇ ખીમજી જેસાણી, લેવા પટેલ સમાજ – મુખપત્ર, ભુજના સંપાદક - શિક્ષક વસંત પટેલ, કેન્ટન-હેરો સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ વિશ્રામભાઇ માયાણી, ઇસ્ટ લંડન મંદિરના શામજી વેકરિયા, સમાજના ટ્રસ્ટી કાનજી હીરાણીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.

બ્રિટિશ સાંસદ, કાઉન્સિલરો, સ્કોટલેન્ડ યાર્ડના પોલીસ અધિકારીઓ, દાતા આર.ડી. વરસાણી, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. રમેશ પટેલ, સુનીલ ભુડિયા, હિન્દુ બ્રિટિશ ફોરમ પ્રમુખ હીરાલાલભાઇ હાલાઇ, મોમ્બાસાથી ધનજીભાઇ ખેતાણી (પૂર્વ પ્રમુખ) સહિતના હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

કાર્યક્રમના અંશ:

* સમાજ મેગેઝિન તેમજ ઓનલાઇન બિઝનેસ ડિરેક્ટરી પ્રસિધ્ધ કરાઇ

* બ્રિટનના મહારાણી એલિઝાબેથ, વડાપ્રધાન ડેવિડ કેમરન, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, છારોડી ગુરુકુળના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, મણિનગર સ્વામિનારાયણ મંિદરના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના શુભેચ્છા સંદેશ વંચાયા.

* ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી તેમજ કોઠારી પાર્ષદ જાદવજી ભગતના વિડીયો સંદેશ રજૂ કરાયા.

૦૦૦૦૦૦

પ્રસ્તુત તસવીરમાં ઉમટેલા આમંત્રીતો

૦૦૦૦૦૦૦

ટ્રસ્ટી શ્રી શશીભાઇ વેકરીયા

૦૦૦૦૦૦

ચેરમેન માવજીભાઇ વેકરીયા

૦૦૦૦૦૦૦

સેક્રેટરી શ્રી વેલજીભાઇ વેકરીયા

૦૦૦૦૦૦


    comments powered by Disqus