‘ગુસ્સો’ તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે

Thursday 11th December 2014 11:14 EST
 

આવા ગંભીર રોગોથી બચવું હોય તો ગમે તે પરિસ્થિતી હોય પણ ક્યારેય ગુસ્સો ના કરવો જોઇએ. કહેવાય છે કે ગુસ્સો માનવીનો મોટામાં મોટો શત્રુ છે. વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલો અભ્યાસ એવું સૂચવે છે કે જે વ્યક્તિ વધારે ગુસ્સો કરે છે તેને બે કલાકમાં જ ગંભીર હાર્ટ એટેક આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત બ્રેઇન સ્ટ્રોક તેમજ હાર્ટને લગતા અન્ય રોગોનો ભોગ પણ બની શકે છે. જે લોકો દિવસમાં પાંચ વખત કે તેથી વધારે ગુસ્સો કરે છે તેવા વર્ષે દસ હજાર લોકોમાંથી ૧૫૮ લોકોને હાર્ટ એટેક આવી શકે છે, જેમને હાર્ટના ગંભીર રોગ હોય છે તેવા ૬૫૭ લોકો હાર્ટ એટેકનો ભોગ બની શકે છે. વધુ ગુસ્સાવાળાં લોકોને બે લાકમાં હાર્ટ એટેક આવવાનું જોખમ પાંચ ગણું વધે છે જ્યારે બ્રેઇનસ્ટ્રોક આવવાનું જોખમ ત્રણ ગણું વધે છે.

સંશોધકોનું માનવું છે કે વ્યક્તિ ગુસ્સા પરનો કાબૂ ગુમાવે એટલે શરીરમાં સાયકોલોજિકલ ફેરફારો આવે છે અને શરીર પર તેની નકારાત્મક અસરો થાય છે. જોકે ગુસ્સાથી બાયોલોજિકલ કેવા ફેરફારો થાય છે તેનો વધુ અભ્યાસ થઇ રહ્યો છે. નોંધનીય છે કે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા આ અંગે સંશોધન કરાયું હતું, જે લોકો દિવસમાં એક જ વખત ઓછો ગુસ્સો કરે છે તેવાં દસ હજારમાંથી એકને હાર્ટ એટેક આવવાનું જોખમ હોય છે.


comments powered by Disqus