પોરબંદરના સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તીઅોના પ્રેરણાસ્ત્રોત અને શિક્ષણપ્રેમી દાતા શ્રી મોહનભાઇ કોટેચાનું ગત તા. ૧-૧૦-૧૪ ના રોજ લંડન ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમની અંતિમ વિધી ગત રવિવારે વોટફર્ડ ખાતે સંપન્ન થઇ હતી જ્યારે પ્રાર્થના સભા હેરોના લોહાણા સમાજના ધામેચા હોલ ખાતે સંપન્ન થઇ હતી.
શ્રી કોટેચા પત્ની વિજયાબેન સાથે તા. ૧૭-૯-૧૪ના રોજ લંડનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. કોટેચા પરિવારના ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન, લોહાણા જ્ઞાતિની વિધવા મહિલાઅોને સહાય વગેેર કાર્યક્રમો કરાય છે. શ્રી કોટેચાએ તા. ૨૬-૧૦-૧૪ના રોજ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન પોરબંદર ખાતે કર્યું છે જેનું નિમંત્રણ આપવા તેઅો અત્રે પધાર્યા હતા. સંપર્ક: 01923 775468 અને 07766 861 355.