તેમણે વૈકુંઠ ધામમાં બાબાસાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. બેલગાવી સિટી કોર્પોરેશનના સ્મશાનમાં આ અંગે તેમણે કહ્યું હતું કે, ‘પ્રથમ તો સ્મશાનમાં રાતવાસો કરીને હું એ અંધશ્રદ્ધાને દૂર કરવા માંગું છું કે આવા સ્થાનોમાં ભૂત-પ્રેતનો વાસ હોય છે. બીજું તે અંગે લોકોમાં રહેલી ભયની લાગણીને હું દૂર કરવા ઇચ્છું છું, કારણ કે હકીકતમાં સ્મશાન એ પવિત્ર ભૂમિ ગણાય છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ સત્તામાં ન રહે તો પણ આ પ્રકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કરતા રહેશે.