આતંકવાદીઓએ બંદૂકની અણીએ બધાને ખૂબ જ માર્યા બાદ મુસ્લિમ મજૂરોને એક તરફ ખસી જવા આદેશ કર્યો હતો. બાદમાં બિનમુસ્લિમ મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમની હત્યા કરી હતી. હુમલો કરનારા હથિયારધારી આતંકવાદીઓ પડોશી દેશ સોમાલિયાના અલ શબાબ સંગઠનના હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ આને દેશની જનતા પર થયેલો હુમલો ગણાવ્યો હતો. ગત મહિને પણ આતંકીઓએ અહીં હુમલો કરીને ૨૮ જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા.