આપણા અતિથી: મોહનભાઇ અને વિજયાબેન કોટેચા

Tuesday 16th September 2014 13:23 EDT
 

આપણા અતિથી: મોહનભાઇ અને વિજયાબેન કોટેચા

પોરબંદરના સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તીઅોના પ્રેરણાસ્ત્રોત અને શિક્ષણપ્રેમી દાતા શ્રી મોહનભાઇ અને શ્રીમતી વિજયાબેન કોટેચા તા. ૧૭-૯-૧૪થી તા. ૧૫-૧૦-૧૪ સુધી લંડનની શુભેચ્છા મુલાકાતે પધારી રહ્યા છે.

શ્રી કોટેચા દ્વારા શ્રીમતી વિજયાબેન મોહલનલાલ કોટેચા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે અને ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ વિદ્યાર્થી પ્રતિભા સન્માન સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન અને દર ત્રણ મહિને લોહાણા જ્ઞાતિની જરૂરતમંદ વિધવા મહિલાઅોને સહાય કરાય છે. તા. ૨૬-૧૦-૧૪ના રોજ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટની તમામ પ્રવૃત્તિઅો કોટેચા પરિવારના સ્વભંડોળમાંથી જ કરવામાં આવે છે અને કોઇ જ દાન લેવાતું નથી. પોરબંદરની વિવિધ સંસ્થાઅો દ્વારા કોટેચા દંપત્તીને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

00000000

* છ ગામ નાગરીક મંડળ યુકે દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૧૦ તેમજ તા. ૧૧ના રોજ ડિસ્કો દાંડીયા સાથે રોજ સાંજે ૭-૩૦થી ૧૧ દરમિયાન અોકિંગ્ટન મેનોર સ્કૂલ, અોકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી HA9 6NF ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક: જયરાજ ભાદરણવાળા 07956 816 556.

* ભાદરણ બંધુ સમાજના સહયોગથી તા. ૨૧-૯-૧૪ના રોજ રાખવામાં આવેલી છ ગામની એજીએમ બંધ રાખવામાં આવી છે. સંપર્ક: મહેન્દ્રભાઇ એસ. પટેલ 020 8777 4881.


    comments powered by Disqus