ઘરના વધતા જતા ભાવ, અોછા પગાર અને વધતી જતી મોંઘવારીને કારણે હજારો યુવાન પરિવારોને ઘર ખરીદવું પોસાતું ન હોવાથી ૪૦ વર્ષ જેટલી લાંબી મુદત માટે મોરગેજ લેનાર યુગલોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. લાંબા સમયની મોરગેજ લેવા પાછળનું મોટુ કારણે મોરગેજના હપ્તાની અોછી રકમ છે. વર્ષ ૨૦૧૪માં એપ્રિલથી જૂન સુધીના ત્રણ માસના સમયગાળામાં કુલ ૮૦ હજાર લોકોએ પ્રથમ વખત ઘર ખરીદવા મોરગેજ લીધું હતું. જેમાંના ૨૨ હજાર લોકોએ ૩૦ કરતા વધારે વર્ષ માટે મોરગેજ મેળવ્યું હતું. જે ૨૦૧૦ના આંકડાઅો કરતા ૧૦% વધારે છે.