સંસ્થા સમાચાર

Tuesday 16th September 2014 12:55 EDT
 

મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી Gandhiji's picture

ભારતને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રાગટ્ય દિનની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

ટેવિસ્ટોક સ્કવેર ગાર્ડન્સ, બ્લુમ્સબરી, કેમડન, લંડન WC1H 9EU ખાતે તા. ૨-૧૦-૧૪ ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇ, કેમડનના મેયર અને અન્ય અધિકારીઅો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહેશે.

૦૦૦૦૦૦૦૦૦

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા તા. ૨૩-૯-૧૪ મંગળવારના રોજ સાંજે ૮થી રાતના ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રાર્થના, ભજન અને મહાત્મા ગાંધી વિષે અગ્રણીઅો દ્વારા પ્રાસંગીક પ્રવચનો રજૂ થશે.

આ પ્રસંગે ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ, હેરો અને બ્રેન્ટના મેયર, સ્થાનિક એમપી અને લોર્ડ્ઝ, કાઉન્સિલર્સ તેમજ વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો પ્રારંભ શાકાહારી ભોજન દ્વારા થશે. સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413.

૦૦૦૦૦૦૦

હેરોના વુડકોક હિલ ખાતે હરિધામ – શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરનો શુભારંભ થશે SC picture

પૂ. શ્રી હરીપ્રસાદ સ્વામીજીની નિશ્રામાં આગામી તા. ૨૧-૯-૧૪ના રવિવારના રોજ હરિધામ – શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના શુભારંભ કાર્યક્રમનું શાનદાર આયોજન ૬૩, વુડકોક હિલ, હેરો HA3 0JH ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે ખાસ પૂ. હરિપ્રસાદ સ્વામી સંત મંડળ સાથે લંડન પધાર્યા છે.

યોગી ડિવાઇન સોસાયટી યુકે દ્વારા આ પ્રસંગે પધારવા માટે સર્વે ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે રવિવાર સવારે ૯-૩૦ કલાકે મંદિરનો શુભારંભ થશે. ૧૦-૪૫ કલાકે ભગવાનની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થશે. સવારે ૧૧-૧૫ કલાકે પૂ. હરીપ્રસાદ સ્વામીજીના આશિર્વચન તેમજ તે પછી મહાપ્રસાદનો લાભ મળશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર યુકે, યુરોપ, અમેરિકા, કેનેડા અને ભારતથી હરિભક્તો પધાર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૭૪માં પૂ. હરીપ્રસાદ સ્વામીજી દ્વારા સ્થપાયેલ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત છે અને તેના ૫૦૦ સેન્ટર વિશ્વભરમાં ચાલે છે અને માનવ સેવા, ભાઇચારો અને ભક્તિ આધારિત મુલ્યોમાં સંસ્થાના સદસ્યો વિશ્વાસ ધરાવે છે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ?????.

૦૦૦૦૦૦૦૦

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞનું આયોજન તા. ૨૧-૯-૧૪ રવિવારના રોજ સવારના ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, HA1 3UJ ખાતે કરવામાં આવ્યું છે. સ્પોન્સરર ગીતાબેન અને મહેશભાઇ પટેલ છે. છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* બ્રહમાકુમારીઝ દ્વારા બ્રહમાકુમારીઝ અપ્ટન પાર્ક સેન્ટર, ઇસ્ટ લંડન ખાતે 'એમ્પાવર યોરસેલ્ફ વીથ સ્પીરીચ્યુઅલ ઇન્ટેલીજન્સ' વિષે ડો. પ્રશાંત કાકોડે (ENT સર્જન)ના પ્રવચનનું આયોજન તા. ૨૦-૯-૧૪ના રોજ સાંજે ૫-૩૦થી ૭-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8471 0083 / 07440 415 635.

* લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ (SSAUSM) લંડન દ્વારા તા. ૨૧-૯-૧૪ના રોજ બપોરે ૪થી ૮ દરમિયાન સત્સંગ સભાનું આયોજન ટાઇની ટ્વીંકલ નર્સરી, વ્હાઇટ ક્રોસ હોલ, વિન્ચેસ્ટર એવન્યુ, કિંગ્સબરી NW9 9TA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નારાયણ ભાઇ સોની 07830 979 829.

* પલાણા યુરોપ સોસાયટી યુકે દ્વારા દીવાળી મિલન કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૯-૧૪ બપોરે ૩થી મોડે સુધી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કમલેશભાઇ પટેલ 020 8337 3365.

* પૂ. હરિરાયજી મહોદયશ્રી (કડી-અમદાવાદ- સુત- મુંબઇ)ના વચનામૃત કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૨૦-૯-૧૪ના રોજ સવારે ૧૧થી ૧૨-૩૦ દરમિયાન લેયટન સ્ટોન મંદિર, ૧૫૯-૧૬૧ વ્હીપ્સક્રોસ રોડ, લેયટન સ્ટોન, લંડન E11 1NP ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૧-૯-૧૪ સાંજે ૬થી ૭ દરમિયાન લલિતાકુંજ, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે પ્રવચન થશે.

* કાર્ડીફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, સ્લોટ માર્કેટ સામે, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૨૧-૯-૨૦૧૪ના રોજ સાંજે ૬થી ૧૦ દરમિયાન કેન્સર ચેરીટી TENOVOUSના લાભાર્થે ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

* શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો ખાતે મંદિર સાથે જોડાયેલા દિવંગત હરિભક્તોના આત્માની શાંતિ અર્થે ભજન-ભોજનનું આયોજન તા. ૨૧-૯-૧૪ના રોજ બપોરે ૩-૩૦થી ૫-૩૦ દરમિયાન મંદિર ખાતે કરવામા આવ્યું છે. આ પ્રસંગે શ્રી બજરંગ ભજન મંડળ, નોર્ધમ્પ્ટન ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ રજૂ કરશે. સંપર્ક: જગદીશભાઇ 01933 390 166.

શુભ વિવાહ

* શ્રીમતી વનિતાબેન અને શ્રી દેવેન્દ્રભાઇ રસીકભાઇ પટેલના સુપુત્રી ચિ. નિકીતાના શુભલગ્ન શ્રીમતી જ્યોત્સનાબેન અને શ્રી નરેન્દ્રભાઇ સોલંકીના સુપુત્ર ચિ. વિનય સાથે તા. ૧-૧૧-૧૪ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.


    comments powered by Disqus