પંજાબ નેશનલ બેન્કની સાઉથોલ શાખાનું નવા મકાનમાં સ્થળાંતર

Saturday 22nd November 2014 13:52 EST
 
પ્રસ્તુત તસવીરમાં પંજાબ નેશનલ બેન્ક (ઇન્ટરનેશનલ) લી.ના એમડી શ્રી ભૂપિન્દર સિંઘ, આસી. જીએમ શ્રી અોમકાર સિંઘ તેમજ મલ્ટીકલ્ચરલ સોસાયટીના પ્રમુખ શ્રી ટી.એસ. સૈની ઉદ્ઘાટન કરતા નજરે પડે છે
 

પંજાબ નેશનલ બેન્કની સાઉથોલ શાખાનું ગત તા. ૩-૧૧-૧૪ના રોજ ૧૧૦ સાઉથોલ રોડ, સાઉથોલ, UB1 1RB સ્થિત નવા રીફર્બિશ્ડ કરાયેલ મકાનમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ નવી શાખાનો શુભારંભ મલ્ટીકલ્ચરલ સોસાયટીના પ્રમુખ શ્રી ટી.એસ. સૈની અને પંજાબ નેશનલ બેન્ક (ઇન્ટરનેશનલ) લી.ના એમડી શ્રી ભૂપિન્દર સિંઘે કર્યો હતો.

શ્રી ભૂપિન્દર સિંઘે આનંદના સમાચાર આપતા જણાવ્યું હતું કે 'આ શાખાનો વ્યાપાર ૫૦૦ મિલિયન અમેરિકન ડોલરને આંબી ગયો છે અને અમે ટૂંક જ સમયમાં ૪,૦૦૦ જેટલા સિક્યુરીટી લોકર્સની સેવાઅો ગ્રાહકો સમક્ષ સાદર કરીશું. આ પ્રસંગે PNBILની સાઉથોલ શાખાના આસી. જીએમ શ્રી અોમકાર સિંઘ, ગુરુદ્વારા સિંઘ સભાના પ્રમુખ શ્રી માલ્લી, સર્વશ્રી શાનુ ચઢ્ઢા, રોકી અરોરા, તલવિંદર હારે, મનોજ ખન્ના, રાજ મક્કર, વિવકે ચઢ્ઢા, નાયબ સિંઘ સંધુ અને PNBILના સ્ટાફના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦

પ્રસ્તુત તસવીરમાં પંજાબ નેશનલ બેન્ક (ઇન્ટરનેશનલ) લી.ના એમડી શ્રી ભૂપિન્દર સિંઘ, આસી. જીએમ શ્રી અોમકાર સિંઘ તેમજ મલ્ટીકલ્ચરલ સોસાયટીના પ્રમુખ શ્રી ટી.એસ. સૈની ઉદ્ઘાટન કરતા નજરે પડે છે

૦૦૦૦૦


    comments powered by Disqus