મે ૧૬, ૨૦૧૩ની અરેરાટી ઉપજાવે તેવી ઘટનામાં નાથને સ્ટેન્લી નાઈફ, કરવત અને આરીની મદદથી પિતાના શરીરના નાના નાના ટુક્ડા કરી નાખ્યા હતા. પિતા પ્રત્યેની આટલી ક્રુરતા ઓછી હોય તેમ નાથને આ ટુકડાઓને સફાઈપૂર્વક પ્લાસ્ટિક સ્ટોરેજ બોક્સીસમાં ગોઠવ્યાં હતા, જેનો ઉપયોગ તેણે ટેલીવિઝન સ્ટેન્ડ તરીકે કર્યો હતો. એક મહિના પછી માનવ અંગોમાંથી વહેતા લોહીની પાતળી ધારા નીચેના ફ્લેટમાં પહોંચતા તે પડોશીએ પોલીસને જાણ કરી હતી. આ પછી નાથનની ધરપકડ થઈ હતી.વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં નાથને હત્યાના ગુનાનો ઈનકાર કર્યો હતો. ટ્રાયલ હજુ ચાલે છે.