શ્વાસ લેવાની અને ફેફસામાં લોહીનું શુદ્ધિકરણ કરીને હૃદયમાં પાછું ઠાલવવાની પ્રક્રિયા મગજ માટે પણ અગત્યની છે. સંશોધકોએ ૧૮થી ૩૧ વર્ષના ૩૩ પુખ્તો અને ૫૫થી ૮૨ વર્ષના ૨૭ પુખ્તોની યાદશક્તિ, સક્રિયતા અને હૃદય-ફેફસાંની કાર્યક્ષમતાને તપાસીને તારવ્યું હતું કે પાછલી વયે કુદરતી રીતે મગજની કાર્યક્ષમતા ભલે ઘટતી હોય, પણ જો હૃદય અને ફેફસાં સારી રીતે કામ કરતા હોય તો એ જ ઉંમરના અન્ય લોકો કરતાં યાદશક્તિ સારી રહે છે.