કરીના ઇસ્લામ ધર્મી નથીઃ સૈફ અલી ખાન

Wednesday 11th February 2015 07:34 EST
 
 

કરીના કપૂર અને સૈફ અલી ખાનના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ વિવિધ ધાર્મિક જૂથોના નિશાને છે. આ જૂથો તેને ‘લવ જિહાદ’નો એક હિસ્સો ગણે છે. એક મુસ્લિમ છોકરો હિન્દુ છોકરી સાથે લગ્ન કરે એને ઉત્તર ભારતમાં ‘લવ જિહાદ’ ગણવામાં આવે છે.
જોકે, આવી ચર્ચાથી સૈફ અલી ખાન ખૂબ પરેશાન છે. તે કહે છે, ‘લોકોને એમ લાગે છે કે કરીનાએ ઇસ્લામ અંગીકાર કરી લીધો છે, પણ એ વાત ખોટી છે. આવી ‘લવ જિહાદ’ની ચર્ચાને અમારા અંગત જીવનમાં કોઈ સ્થાન નથી. આવી વાતો કરનારા લોકોને ગંભીરતાથી લેતાં અગાઉ તેમની બુદ્ધિ અને તેમના ચારિત્ર્યને ધ્યાનમાં લેવાં જોઈએ. અમે અમારા લગ્નજીવનમાં ધર્મને મહત્વ આપ્યું જ નથી. અમે ફક્ત અમારા પ્રેમને જ ગંભીર ગણીને એકબીજાનો સ્વીકાર કર્યો છે.’ સૈફ વધુમાં કહે છે કે કરીના તેના અભિનયથી જ જાણીતી છે. ઉલ્લેખનીય છે કે કરીના કટ્ટરવાદીઓનું નિશાન બન્યા પછી સૈફએ તેની સુરક્ષા બમણી કરી છે.


comments powered by Disqus