અપહરણ કેસમાં લખવીને જામીન મળ્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લશકર-એ-તૈયબાના આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ જકી-ઉર-રહમાન લખવીને ગત સપ્તાહે ઇસ્લામાબાદની નીચલી કોર્ટે અફઘાન નાગરિકના અપહરણ કેસમાં જામીન આપી દીધા છે. કોર્ટે બે લાખના બોન્ડ પર તેના જામીન મંજૂર કર્યા હતા, જો કે, ‘મેઇન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર’ કાયદા હેઠળ લખવીને જામીન મળ્યા હોવા છતાં તે જેલની બહાર આવી શકશે નહીં.