કરણ, અર્જુન અને રણવીર સામે કેસ કરવા આદેશ

Wednesday 18th February 2015 05:21 EST
 
 

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસમાં ફરિયાદ કરવા કોર્ટે જણાવ્યું છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા.
આ હસ્તીઓમાં કરણ જોહર, રણવીર સિંહ અને અર્જુન કપૂરનો સમાવેશ થાય છે. આ ત્રણેય શોના મુખ્ય આકર્ષણ હતા. આ શોનું શૂટિંગ ૨૦ ડિસેમ્બરે મુંબઇમાં થયું હતું. આ ઉપરાંત શોમાં હાજર રહેલી દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટ સામે પણ કેસ કરાશે. આ શો સામે અશ્લીલતાની ફરિયાદ થતા યુ-ટયુબમાંથી એને ઉતારી લેવાયો હતો. સંતોષ દોંડકર નામના એક સામાજિક કાર્યકરે ગીરગામની કોર્ટમાં ફરિયાદ કરી હતી કે આ શો અશ્લીલ અને અસભ્ય હતો. આમીરખાને શોની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘મારા મતે આ શો એકદમ ‘હિંસક’ હતો. હિંસા શાબ્દિક અને લાગણીની પણ હોઈ શકે. તમે કોઈનું અપમાન કરો ત્યારે તમે હિંસા આચરો છે.’ં


comments powered by Disqus