મલ્લિકા શેરાવત રાજકારણમાં આવશે?

Wednesday 18th February 2015 05:22 EST
 
 

પોતાની અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇ છે. આથી જ કદાચ તે રાજકારણમાં આવવાનું વિચારે છે. મલ્લિકા કહે છે કે, તેને રાજકારણમાં પ્રવેશવા સામે કોઇ વાંધો નથી. જો યોગ્ય મંચ મળશે તો તે ચોક્કસ રાજકીય કારકિર્દી પણ શરૂ કરશે. રાજસ્થાનના રાજકારણમાં ભૂંકપ લાવનારા ભંવરીદેવી પ્રકરણ આધારિત ‘ધ ડર્ટી પોલિટિક્સ’ નામની ફિલ્મ બની રહી છે. જેમાં તે ભંવરીદેવીની ભૂમિકા ભજવે છે. શેરાવતે કહ્યું કે, મોદી વડા પ્રધાન તરીકે ઘણું સારું કામ કરે છે.


comments powered by Disqus