• પાકિસ્તાનના સતત બે પરાજયથી અકળાયેલા પૂર્વ કેપ્ટન વસીમ અકરમે ટીમના ખેલાડીઓને ચેતવણી આપી છે કે હવે પછીની મેચમાં કોઈ પણ પ્રકારે જીત મેળવવી પડશે નહીં તો દેશ પરત આવી જવું જોઇએ.
• ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં પ્રથમ બન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટપ્રેમીઓને પ્રભાવિત કર્યા છે, પણ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું કહેવું છે કે તે ટુર્નામેન્ટમાં ભારતના અત્યાર સુધીના પ્રદર્શનથી ખુશ છે, પરંતુ સંતુષ્ટ નથી. તેના મતે ટીમ હજી પણ રમતમાં વધારે સુધારો કરી શકે છે.
• શ્રીલંકન ટીમને નવોદિત અફઘાનિસ્તાનના લડાયક અભિગમ સામે વિજય મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. રવિવારે રમાયેલા ગ્રૂપ-એના લીગ મુકાબલામાં ૨૩૩નો લક્ષ્યાંક હાંસલ કરવા ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકાને ૪૮.૨ ઓવર સુધી ઝઝૂમવું પડ્યું હતું. એક સમયે તો શ્રીલંકાએ ૫૧ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી હતી.