રોજ અપાયો છે.
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA)એ આપેલી ચેતવણી અનુસાર સંજય શાહના નામથી પણ ઓળખાતા પૂર્વ સોલિસિટર દીક્ષિત શાહને કોઈ કાનૂની પેઢીમાં કામ કરવાની મંજૂરી અપાઈ નથી. આ સંદર્ભે ફાઈનલ કોર્ટ ઓર્ડર પણ મેળવવામાં આવ્યો છે. દીક્ષિત શાહની નોંધણી ૨૦૦૨માં રદ કરાઈ હતી. છેતરપિંડીના અનેક ગુનાસર શાહની ૨૦૦૯માં ધરપકડ થઈ હતી. ટ્રાયલના આરંભે જ તેમણે કબૂલાત કરી લેતા ૬૬ મહિનાની જેલની સજા થઈ હતી અને જૂન ૨૦૧૨ના અરસામાં તેમને જેલમાંથી મુક્ત કરાયા હતા.
નોંધણી રદ કરાયેલા સોલિસિટર્સ SRAની સંમતિ સાથે કાનૂની પેઢીઓ માટે કામ કરી શકે અથવા તેમની પાસેથી મહેનતાણું મેળવી શકે છે. શાહ કોઈ કાનૂની પેઢી સાથે કામ કરી શકે તેવી કોઈ સંમતિ SRA દ્વારા અપાઈ નથી. શાહ એક કાનૂની પેઢી સાથે કામ કરતા હોવાનું જાણમાં આવતા કોર્ટ દ્વારા ૨૨ મે ૨૦૧૪ના દિવસે વચગાળાનો અને ૧૨ જાન્યુઆરીએ ફાઈનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. જે અનુસાર SRAની પૂર્વસંમતિ વિના, તેના દ્વારા સત્તા
અપાયેલી કે SRA દ્વારા નિયંત્રિત, સંચાલિત કોઈ સંસ્થામાં તેઓ મહેનતાણું કે કામગીરી મેળવી શકશે નહિ.
આ ચુકાદાનો ભંગ કરી કોઈ વ્યક્તિ શાહને મદદ થાય તેવું કાર્ય કરે અથવા આદેશની શરતોનો ભંગ કરવાની પરવાનગી આપશે તો પણ
કોર્ટની અવમાનના બદલ ગુનેગાર બનશે અને તેમને જેલ, દંડ અને મિલકતોની જપ્તી કરી શકાય છે. શાહ ચુકાદાની તારીખથી ૨૧ દિવસમાં અપીલ કરી શકે છે.