લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયેલા અમિતાભ બચ્ચનના મીણના પૂતળાનું જલદીથી મેક ઓવર કરાશે. ખુદ બિગ બીએ પોતાના બ્લોગ પર આ જાણાકારી આપી છે. અમિતાભે બ્લોગ પર લખ્યું છે કે એમટીના લોકોએ મારી સાથે સમય વીતાવ્યો. થોડુંક માપ લીધું અને મારી તસવીરો પણ પાડી. તેઓ મારા વેક્સ ફિગરમાં ફેરફાર કરવા ઇચ્છે છે. તેથી મારાં જૂનાં કપડાં, શૂઝ, જેક્ટ્સ, ચશ્મા પણ મારી પાસેથી લેવામાં આવ્યા છે. તેઓ સમય મુજબ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એ જાણીને મને ખુશી થઈ છે. મેડમ તુસાદમાં વર્ષ ૨૦૦૨માં બોલિવૂડના કલાકારનું સૌ પ્રથમ પૂતળું અમિતાભ બચ્ચનનું મુકાયું હતું. અમિતાભ પછી એશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, કેટરીના કૈફ, માધુરી દીક્ષિત, ઋતિક રોશન, કરીના કપૂરના ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વેક્સ સ્ટેચ્યુ પણ તુસાદ મ્યુઝિયમમાં મુકાયાં છે.

