સંસ્થા સમાચાર તા. ૧૫-૧૦-૧૬ માટે

Tuesday 11th October 2016 14:04 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૧૬-૧૦-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• નડિયાદ નાગરિક મંડળની ૪૩મી વાર્ષિક સાધારણ સભા રવિવાર તા.૨૩-૧૦-૧૬ બપોરે ૩ વાગે ચાખીલ પ્રાઈમરી સ્કૂલ, બાર્નહિલ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA9 9YP ખાતે યોજાશે. સભા બાદ ડિનરની વ્યવસ્થા છે. સંપર્ક. અજીત દેસાઈ 07535 800 803.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા.૧૬-૧૦-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદ તથા તા.૧૮ અને તા.૧૯ કડવા ચોથની પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલિવુડના ગીતોના કાર્યક્રમ ‘યે શામ મસ્તાની’નું શનિવાર તા.૨૨-૧૦-૧૬ સાંજે ૬.૩૦ વાગે હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ, E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8555 0318
• શ્રી સનાતન સેવા સમાજ હિંદુ મંદિર, લુટન દ્વારા શનિવાર તા.૧૫-૧૦-૧૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન રાસ-ગરબાનું હિયરફર્ડ રોડ, લ્યુસી ફાર્મ, લુટન LU4 0PS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01582 663 414.
• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા પૂ. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું ગુરુવાર તા.૨૦-૧૦-૧૬ના રોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમ બાદ ભોજનની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8904 9191
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, 4 a, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEદ્વારા ગોપીકૃષ્ણ હેગડેના હિંદુસ્તાની ગાયકીના કાર્યક્રમનું શનિવાર તા.૧૫-૧૦-૧૬ સાંજે ૬ વાગે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૬-૧૦-૧૬ સવારે ૯.૩૦થી સાંજે ૪ ભજન અને ભોજન • શનિવાર તા.૨૨-૧૦-૧૬ બાળકોની દિવાળી પાર્ટી બપોરે ૩થી સાંજે ૭ • રવિવાર તા.૨૩-૧૦-૧૬ બપોરે ૩ રંગોળી સ્પર્ધા અને આરતી થાળી સુશોભન હરિફાઈ. સંપર્ક. 01772 253 901
• શ્રી નાથજીની હવેલી -
શ્રી પુષ્ટિમાર્ગીય હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દ્વારા પૂ.ગોસ્વામી કૃષ્ણકુમારજી (અમદાવાદ-કડી)ના મુખે પુષ્ટિમાર્ગ પર વચનામૃતનું રવિવાર તા.૨૩-૧૦-૧૬ બપોરે ૧૨.૩૦થી ૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. સી જે રાભેરુ 07958
275 222.

સુધારો
'ગુજરાત સમાચાર’ના તા. ૮-૧૦-૨૦૧૬ના અંકમાં પાન નં. ૨૮ ઉપર પ્રસિધ્ધ થયેલા સમાચારમાં શરતચૂકથી શ્રી જયંતિલાલ ચાચા મુંબઇમાં પોતાના પુત્ર શૈલેષભાઇ તેમજ પુત્રવધૂ શર્મીલાબેન સાથે રહે છે તેમ લખવાનું ચૂકી જવાયું હતું.


comments powered by Disqus