લંડનઃ સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ એક અભ્યાસમાં જણાયું છે. તેમાં પણ મેઈન રોડ અને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને તેનું વધુ જોખમ હોવાનું સંશોધકોને જણાયું છે. જર્નલ ડ્યુશીસ આર્ઝટબ્લેટ ઈન્ટરનેશનલમાં પ્રસિદ્ધ તારણો મુજબ ટ્રેન, પ્લેન તથા કારના ઘોંઘાટથી શારીરિક તણાવ થતાં માયોકાર્ડિયલ ઈન્ફાર્કશન-હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે. અગાઉ આવા ઘોંઘાટથી સ્ટ્રોક અને વહેલા મૃત્યુનું જાખમ વધતું હોવાનું જણાયું હતું.
સંશોધકોની ટીમે જર્મનીના રહાઈન -મેઈન પ્રાંતમાં રહેતા ૪૦ વર્ષથી વધુ વયના દસ લાખ કરતાં વધુ જર્મનોની સ્ટેટ હેલ્થ ઈન્સ્યુરર્સ પાસેથી માહિતી મેળવીને તેની ચકાસણી કરી હતી. તેઓ જ્યાં રહેતા હતા તે વિસ્તાર ૨૦૦૫માં રેલ, રોડ અને ટ્રાફિકના ઘોંઘાટને માપવા માટે નક્કી કરાયો હતો.

