• સેવન સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા જાણીતા લોક સાહિત્યકારો શ્રી માયાભાઈ આહિર અને શ્રી કિર્તીદાન ગઢવીના ‘લોકડાયરા’ના કાર્યક્રમનું શુક્રવાર તા.૨૮-૪-૧૭ રાત્રે ૮ વાગે હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. બોલિવુડ પાન સેન્ટર 020 8204 7807
• મહાવીર ફાઉન્ડેશન દ્વારા કિંગ્સબરી હાઈસ્કૂલ, સ્ટેગ લેન, કિંગ્સબરી NW9 9AA ખાતે ‘શિખર સ્થાપનાઃત્રિદિવસીય મહોત્સવ’નું શનિવાર તા.૨૯-૪-૧૭ થી સોમવાર તા.૧-૫-૧૭ દરમિયાન આયોજન કરાયું છે. તા.૨૯ સાંજે ૫થી ૭ - ભોજન, સાંજે ૭થી ૧૦ ભક્તિસંગીત, તા.૩૦ સવારે ૯થી ૧૨.૩૦ આધાર અભિષેક પૂજા, બપોરે ૨.૩૦ થી ૪ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા.૧ શિખર તથા કળશની સ્થાપના. સંપર્ક. વિનોદ કપાસી 07966 006 261
• આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા ‘શ્રી વલ્લભ પ્રાગટ્ય ઉત્સવ’નું શનિવાર તા.૨૯-૪-૧૭ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર, HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સુરેશ કોટેચા 020 8900 1300
• લંડનના ગુરુદ્વારા અને પંજાબી કોમ્યુનિટી તથા ભારતીય હાઈ કમિશનના સંયુક્ત ઉપક્રમે ‘વૈશાખી - ૨૦૧૭’ની ઉજવણીનું રવિવાર તા.૩૦-૪-૧૭ સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન SKLP સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે આયોજન કરાયું છે.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૯-૪-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૩૦-૪-૧૭ બપોરે ૩ વાગે ભજન અને સાંજે આરતી, બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૩૦-૪-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી (USA) અને નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૯-૪-૧૭ સવારે ૧૦.૩૦ સુંદરકાંડ પાઠ, સાંજે ૫ વાગે ૧૧ હનુમાન ચાલીસા, સાંજે ૭.૩૦ વાગે કાઠિયાવાડી સંતવાણી - સંત જેન્તીરામ બાપાના ભજન અને આખ્યાન • રવિવાર તા.૩૦-૪-૧૭ જલારામ પ્રસાદી. સંપર્ક. 01162 661 402
• સ્કાયલીંક ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રસ્તુત કરે છે ધમાકેદાર કોમેડી નાટક ‘જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ’ • સોમવાર તા.૧-૫-૧૭ સાંજે ૭ વાગે પીપુલ એન્ટરપ્રાઈઝ, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP સંપર્ક. વસંત ભક્તા 07860 280 655 • બુધવાર તા.૩-૫-૧૭ સાંજે ૭ વાગે ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE સંપર્ક. પી આર પટેલ 020 8922 5466 • શુક્રવાર તા.૫-૫-૧૭ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ, HA4 7QL સંપર્ક. પી આર પટેલ 020 8922 5466 • શનિવાર તા.૬-૫-૧૭ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ, HA4 7QL સંપર્ક. 07931 534 270
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા.૭-૫-૧૭ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0GD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • ભારતના મંદિરો અને તેની સ્થાપત્યકલા વિશેનું ‘એન આર્ટ હિસ્ટ્રી ઓફ ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ’ પ્રદર્શન આગામી ૪-૫-૨૦૧૭ સુધી ચાલશે • શનિવાર તા.૬-૫-૧૭ સાંજે ૬.૩૦ વાગે બિષ્ણુપુર ઘરાનાના ગાયક પંડિત સાંતનુ બંદોપાધ્યાયનો કોન્સર્ટ • રવિવાર તા.૭-૫-૧૭ સાંજે ૬ વાગે ડો. રમ્યા મોહનની સંગીત સંધ્યા ‘ભિન્ન અભિન્ન’ સંપર્ક. 020 7381 3086
• અક્ષયપાત્ર, લંડન બિઝનેસ સ્કૂલ અને ઈન્ડિયા બિઝનેસ ફોરમના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડિયા - બીકન ઓફ ગ્રોથ’ વિષય પર પરિસંવાદનું શુક્રવાર, તા.૨૮-૪-૧૭ સવારે ૯ થી સાંજના ૬ દરમિયાન રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રીશીયન્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ્સ (LBS કેમ્પસ), રીજન્ટ્સ પાર્ક, લંડન NW1 4RG ખાતે આયોજન કરાયું છે. ભારતના હાઈકમિશનર વાય કે સિંહા, સર એન્ડ્ર્યુ લીકીરમેન, રામદેવ અગ્રવાલ, ડો. એ વેલુમણિ સહિત વક્તાઓ તેમના મંતવ્યો રજૂ કરશે સંપર્ક. 020 7422 6612
શુભ વિવાહ
• હાલ લંડન ખાતે રહેતા શ્રીમતી હેમાબેન અને શ્રી પિયુશભાઇ મનુભાઇ પટેલના સુપુત્રી ચિ. સોનિકાના શુભલગ્ન શ્રીમતી વિમલાબેન શુક્લાના સુપુત્ર ચિ. આશિષ સાથે તા. ૩૦મી એપ્રિલ ૨૦૧૭ના રોજ ચિગવેલ, લંડન ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.
• મૂળ ધર્મજના વતની અને હાલ ટેમ્પા, અમેરિકા ખાતે રહેતા શ્રીમતી અલકાબેન અને શ્રી કૌશીકભાઇ ચિમનભાઇ પટેલ (KC)ના સુપુત્રી ચિ. હિનલના શુભલગ્ન શ્રીમતી ધર્મિષ્ઠાબેન અને શ્રી લલિતભાઇ બી. પાઠકના સુપુત્ર ચિ સુકેશ સાથે શનિવાર તા. ૩ જૂન ૨૦૧૭ના રોજ અમેરિકા ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને "ગુજરાત સમાચાર" પરિવાર તરફથી શુભકામનાઅો.
•••
અવસાન નોંધ
મૂળ સૌરાષ્ટ્રના ચલાલા ગામના વતની અને હાલ ઇપ્સવીચમાં રહેતા કિંગ્સ કોલેજ લંડનના ભૂતપૂર્વ રિસર્ચ સાયન્ટીસ્ટ શ્રી અશોકભાઇ કાંતિલાલભાઇ ભટ્ટનું ગત તા. ૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૮૩ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. સંપર્ક: 01473 215 145.
•••