તા. ૨૮ જુલાઈથી તા.૫ ઓગસ્ટ દરમિયાન અમેરિકામાં શ્રી સ્વામીનારાયણ મંદિર., શિકાગોનો ૨૦મો પાટોત્સવ યોજાઈ ગયો. તે દરમિયાન નવ દિવસની પારાયણ, ત્રણ દિવસના મહાવિષ્ણુયાગનું આયોજન કરાયું હતું. પ્રથમ વખત વિદેશની ધરતી પર લાલજી મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજની વર્ષગાંઠની (૨૧મી) ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત, રંગોત્સવ, શોભાયાત્રા, અન્નકુટ ઉત્સવનો હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.પાટોત્સવના છેલ્લા દિવસે દેશ-વિદેશના હરિભક્તો સહિત ૩,૦૦૦થી વધુ સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મકુળ પરિવાર દ્વારા મંદિરના એક્સટેન્શનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

