પાઇનેપલના સેવનથી વજન ઘટે છે

હેલ્થ ટિપ્સ

Friday 12th October 2018 08:46 EDT
 
 

દેખાવમાં કાંટાવાળું છતાં આકર્ષક, સ્વાદમાં સ્વાદિષ્ટ ફળ એટલે પાઇનેપલ. આ ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને પ્રોટીન રહેલા છે.
• પાઇનેપલમાં એક કુદરતી મીઠાશ રહેલી છે, પણ તેમાં શુગરની માત્રા હોતી નથી. આથી ડાયાબિટીસ પેશન્ટ પણ આ ફળ ખાઈ શકે છે. • શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનક્રિયાનું વ્યવસ્થિત રહેવું ખૂબ જ જરૂરી છે. પાઇનેપલમાં ભરપૂર પ્રમાણમાં ફાયબરની રહેલું છે, જે પાચનક્રિયામાં મદદ કરે છે. • પાઇનેપલમાં બીટા-કેરોટીન નામના તત્ત્વો રહેલા છે, જે અસ્થમાના રોગમાં રાહત આપે છે. • હાડકાં માટે પાઇનેપલનો રસ ખૂબ જ સારો માનવામાં આવે છે, કારણ કે પાઇનેપલમાં દરેક પ્રકારના મિનરલ્સ અને વિટામિનની માત્રા હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે.
• પાઇનેપલના સેવનથી સામાન્ય રોગોમાં પણ ઘણી રાહત મળે છે. આથી ખાંસી, શરદી, તાવ વગેરે જેવી બીમારીમાં પાઇનેપલનું સેવન કરવું જોઈએ. • પાઇનેપલ ઇમ્યુનિટી પાવર વધારવામાં સહાય કરે છે તથા શરીરમાંથી અશક્તિ દૂર કરીને શક્તિનો સંચાર કરે છે. • પાઇનેપલના રોજિંદા સેવનથી શરીરમાં નબળાઈ નહીં આવે, અને ડાયેટમાં સામેલ કરવાથી તે વજનમાં ઘટાડો કરે છે. વજન ઘટાડવા માટે પાઇનેપલનું નિયમિત સેવન કરો.
• પાઇનેપલ સવારે નાસ્તામાં ખાવાથી ત્વચા પર નિખાર આવે છે, તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા છે. તેના કારણે ચહેરા પર પિંમ્પલ અને ત્વચા સંબંધી સમસ્યા હશે તો દૂર થશે.


comments powered by Disqus