માણસને દિવસમાં સરેરાશ ૯૭ વાર ખંજવાળ આવે છેઃ અભ્યાસ

Wednesday 10th October 2018 08:45 EDT
 
 

ન્યુ યોર્કઃ શરીર પર ખુજલી માટે હાથ ફરવો એ માણસનું સામાન્ય લક્ષણ છે. કોઇ વક્તા ભાષણ આપતા હોય કે કોઇ ઓફિસમાં કામ કરતું હોય આ સહજ ક્રિયાનો ખુદને પણ ખ્યાલ હોતો નથી. એક સંશોધન મુજબ માણસને દિવસમાં સરેરાશ ૯૭ વાર ખંજવાળ આવે છે. લિવરપૂલ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાંસિસ મેકલોનના જણાવ્યા મુજબ મચ્છર અને નાના-મોટા છોડ, વનસ્પતિ એક પ્રકારનું ટોકસિન છોડે છે જેના પ્રતિકાર માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમમાં હિસ્ટામીનનો સ્ત્રાવ થાય છે. આવું થાય છે ત્યારે ચેતાતંત્ર મસ્તિષ્કને ખંજવાળનો સંકેત આપે છે. હવામાં તરતા ટોકસિન માટે શરીર અતિશય સંવેદનશીલ હોવાથી હાથ ખણવાનું શરૂ કરે છે.
૧૯૯૭માં ખંજવાળ અંગેના સંશોધનમાં પ્રથમવાર જાણવા મળ્યું હતું કે ઈજા કે રોગ થવાથી આવતી ખંજવાળ અને સામાન્ય ખંજવાળ બંને અલગ બાબત છે. સેન્ટર ઓફ ધ સ્ટડી ઓફ ધ ઇચના સંશોધક બ્રાયનના જણાવ્યા મુજબ સામાન્ય ખંજવાળ પણ એક પ્રકારના ચેપ જેવી હોય છે જેમાં ઘણી વાર એકની અસર બીજાને થવા લાગે છે. આ અનુકરણ માટે મગજનો સુપ્રાક્રિએજમેટિક ન્યૂકલિઅયસ ભાગ જવાબદાર છે. ખંજવાળથી શરીરને આરામનો અહેસાસ થાય ત્યારે મગજમાંથી સેરોટોનિનનો સ્ત્રાવ થાય છે.
જોકે ખંજવાળવાથી કેમ સંતોષનો અનુભવ થાય છે તે આજ સુધી માલૂમ પડયું નથી. નવાઇની વાત તો એ છે કે જેમ ખંજવાળવામાંઆવે તેમ તે વધતી જાય છે.


comments powered by Disqus