દલેર મહેંદીની માનવ તસ્કરીના કેસમાં અટક ને જામીન

Wednesday 21st March 2018 07:24 EDT
 
 

પંજાબી પોપ ગાયક દલેર મહેંદીને પટિયાલાની અદાલતે ૨૦૦૩ના માનવ તસ્કરીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે, એ પછી દલેર મહેંદીએ જામીન મેળવી લીધા હતા. ૨૦૦૩માં દલેર અને તેના મોટા ભાઈ શમશેર વિરુદ્ધ પટિયાલાના એક ગામમાં રહેતાં બખ્શીશ સિંહે ફરિયાદ કરી હતી કે આ બંનેએ તેની સાથે છેતરપિંડી કરી હતી. બંનેએ તેની પાસે રૂ. ૪.૫૦ લાખ લીધાં હતાં અને ખાતરી આપી હતી કે તેઓ તેને દલેરના ગ્રુપમાં સામેલ કરીને વિદેશ લઈ જશે.


comments powered by Disqus