લાલ, લીલા, કાળા અને વાયોલેટ વગેરે જેવા વિવિધ રંગોમાં જોવા મળતી દ્રાક્ષને ફળોની રાણી માનવામાં આવે છે. ભારત સહિતન ઘણા દેશોમાં આ ફળને ડ્રાય કરીને ડ્રાય ફ્રૂટ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાટી-મીઠી આ દ્રાક્ષ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. આવો જાણીએ દ્રાક્ષ દ્વારા થતાં સ્વાસ્થ્યના ફાયદા વિશે.
• દ્રાક્ષમાં ફ્લેવોનોઇડ નામનું તત્ત્વ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. દ્રાક્ષના સેવનથી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે.
• દ્રાક્ષનું સેવન કરવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમિત રીતે દ્રાક્ષનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે.
• દ્રાક્ષના રેસા દાંતને મજબૂત બનાવે છે.
• દ્રાક્ષમાં હાઇડ્રેટિંગ ક્ષમતા વધારે હોય છે, જે આપણા ફેફસાંમાં જનારા મોઇશ્વરને ઓછું કરે છે અને અસ્થમાની બીમારીમાં રાહત આપે છે.
• વાયોલેટ રંગની દ્રાક્ષનો જ્યૂસ પીવાથી બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ મળે છે. નિયમિત રીતે આ દ્રાક્ષનું સેવન કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
• માઇગ્રેનની સમસ્યામાં દ્રાક્ષ ઔષધિનું કામ કરે છે. માઇગ્રેનમાં લાલ રંગની દ્રાક્ષનું સેવન કરવાથી આ બીમારીથી છૂટકારો મળશે.
• હાઈ બ્લડપ્રેશરના દર્દીને દ્રાક્ષના સેવનની સલાહ આપવામાં આવે છે, કારણ કે દ્રાક્ષ શરીરમાં સોડિયમ દ્વારા થતા પ્રભાવને ઓછું કરી શકે. બીજ વિનાની લીલી દ્રાક્ષમાં પોટેશિયમ ભરપુર હોય છે.

