આમિર ઓશો બનશે?

Saturday 07th April 2018 07:03 EDT
 
 

થોડા સમય અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મમેકર કરણ જોહર ઓશો રજનીશના જીવન પર ફિલ્મ બનાવવાના છે અને તેમાં અભિનેતા રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, પરંતુ હાલમાં સમાચાર છે કે આમિર ખાન ઓશોના પાત્રમાં હશે. હાલમાં આમિર ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. દરમિયાન તે પોતાના ટીવી શો ‘સત્યમેવ જયતે’ની આગામી સિઝનની તૈયારીમાં પણ વ્યસ્ત છે. એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા બનનારી ઓશો પરની ફિલ્મમાં તે રજનીશનું પાત્ર ભજવે એવી પણ શકયતા છે. આ પાત્ર ભજવ્યા બાદ તે પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મહાભારત’ પર કામ શરૂ કરશે.


comments powered by Disqus