કોર્બીને ફેસબુક એકાઉન્ટ બંધ કર્યું

Wednesday 04th April 2018 06:56 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના વડા જેરેમી કોર્બીને તેમનું ફેસબુક પેજ ડિલીટ કરી દીધા બાદ તેમના પર એન્ટિસેમિટીઝમ સાથેના તેમના કથિત સંપર્કોને ચકાસણીમાં છૂપાવવાનો આરોપ છે. તે સેમિટિઝમ વિરોધી પોસ્ટ સાથેના પાંચ ફેસબુક ગ્રૂપના મેમ્બર હોવાનું બહાર આવ્યા બાદ સોમવારે તેમણે ફેસબુક પેજ ડિલીટ કરી દીધું હતું.

પોતાનું નામ ન આપવા ઈચ્છતા લેબર સાંસદે જણાવ્યું હતું કે આ પગલું દર્શાવે છે કે કોર્બીન કશુંક છૂપાવવા માગતા હતા. તેઓ એન્ટિસેમિટિઝમ સાથે સંકળાયેલા બીજા પૂરાવા પણ દૂર કરવા માગે છે.


comments powered by Disqus