ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા ૧૫મી ઓગસ્ટને ગુરુવારે ૮૦થી વધુ ભારતીયોની ઉપસ્થિતિમાં ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ આઝાદીની લડતમાં યોગદાન આપનારા નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે ભારત હાલ જે રીતે વિકાસ કરી રહ્યું છે તેની પણ સૌએ પ્રશંસા કરી હતી.GHS ના પ્રમુખ દશરથભાઈ નાયીએ ધ્વજવંદન કરાવ્યું હતું અને ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી. શ્રી નાયીએ પ્રવચન આપ્યું હતું અને ભારતની હાલની સરકારે કરેલી પ્રગતિની સરાહના કરી હતી.
ઉજવણીના બીજા ભાગમાં એક કાર્યક્રમમાં ભારતના મહાન ગાયક સ્વ. મુકેશજીને અંજલિ આપવામાં આવી હતી. આયર્લેન્ડથી પધારેલા ગિરીશભાઈ પટેલે તેમના સૂરીલા અવાજમાં ‘મેમરી ઓફ મુકેશ’ કાર્યક્રમમાં સ્વ. મુકેશજીના વિવિધ ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં ૨૫૦થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈે ગિરીશભાઈ પટેલના કંઠે ગવાયેલા સુમધુર ગીતોનો આનંદ માણ્યો હતો.
વધુ માહિતી માટે સંપર્ક. ઈશ્વરભાઈ ટેઈલર 07801 849 402