આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે કામ કરવાનો શા માટે કર્યો ઈનકાર?

Wednesday 02nd October 2019 08:44 EDT
 
 

અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં એક્ટર રણબીર કપૂર સાથે ફિલ્મોની કેટલીય ઓફર નકારી હોવાના અહેવાલ છે. બંને સિતારાના રિલેશનશિપ ચર્ચામાં છે એવામાં આલિયાએ રણબીર સાથેની ફિલ્મો કેમ નકારી? એવા પ્રશ્નો તો થાય જ. જોકે એક અહેવાલ પ્રમાણે આલિયાએ ખૂબ જ ગણતરીથી આ નિર્ણય લીધો છે. આલિયાનું ફિલ્મો નકારવાનું કારણ અંગત સંબંધો નથી તે પણ સ્પષ્ટ થયું છે. મુદ્દો એ છે કે રણબીર-આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ દ્વારા પહેલી વાર રૂપેરી પડદે દેખાવાના છે. આ બિગબજેટ મૂવિ છે. બંનેની પર્સનલ લાઈફમાં તો જોડી હિટ છે, પણ બંને કોઇ પણ નવો પ્રોજેક્ટ સાથે સાઈન કરતાં પહેલાં જોવા માગે છે કે બંનેની જોડીને દર્શકો ફિલ્મ પડદે પસંદ કરે છે કે નહીં? કારણકે બોલિવૂડના કેટલાય કપલ એવા છે જેમને દર્શકો ફિલ્મી પડદે જાકારો આપી ચૂક્યા હોય. જેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જેવા સ્ટારકપલ પણ સામેલ છે.
બ્રહ્માસ્ત્રની રાહ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જ દર્શકો પણ ‘બ્રાહ્માસ્ત્ર’ની રાહ જોઈ રહ્યા છે. અયાન મુખર્જીની આ ફિલ્મમાં આલિયા અને રણબીર સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આલિયા અને રણબીર બંને અત્યારે ટોચના સ્ટાર ગણાય છે એટલે ખૂબ જ સાચવીને તેઓ અંગત અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરી રહ્યાં હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટને ‘રાઝી’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આલિયા ‘બ્રહ્માસ્ત્ર’ સિવાય હાલમાં ‘સડક-૨’ અને ‘તખ્ત’નું પણ શૂટિંગ કરી રહી છે. રણબીર કપૂર પણ તેની આગામી ફિલ્મો ‘શમશેરા’, ‘ડેવિલ’ અને
લવ રંજનની એક આગામી ફિલ્મ પર ધ્યાન આપી રહ્યો છે.


comments powered by Disqus