અભિનેતા અક્ષય ખન્ના સારો કલાકાર છે, પરંતુ દર બે-ચાર વર્ષે તેની એકાદ ફિલ્મ આવે છે. હાલમાં આવેલી ફિલ્મ સેકશન ૩૭૫: મર્ઝી યા જબરદસ્તીમાં તેના અભિનયની પ્રશંસા થઇ છે. તું જાહેર જીવનમાં ઝાઝો જોવા મળતો નથી અને તારી ફિલ્મો પણ લાંબા સમયે આવે છે, આનું કારણ શું? એવા સવાલના જવાબમાં અક્ષયે કહ્યું કે, હું આવો જ છું. આ મારી પ્રકૃતિ છે. મને યોગ્ય લાગે ત્યારે હું કામ કરું છું. બાકી મારા અંગત જીવન વિશે કોઇને જણાવવાની મારી ઇચ્છા નથી. આ કારણે જ તે લગ્ન નથી કર્યા? એવી ટિપ્પણી કરતા તેણે કહ્યું કે, હું મેરેજ મટિરિયલ નથી. હું મારા જીવનને કોઇની સાથે વહેચી ન શકું. હું નાનપણથી આવો જ છું. કોઇની સાથે બંધાઇને રહેવું મને ગમતું નથી. લગ્ન એટલે કોઇની સાથે વચનબદ્ધ થઇને રહેવું જેમાં જીવનશૈલી બદલાઇ જાય છે. આ સાથે જ તમારો પોતાના જીવન પરથી નિયંત્રણ પણ ગુમાવી દેવો પડે છે.