લડનઃ ડિમેન્શિયાના પ્રમાણમાં છેલ્લાં ૩૦ વર્ષમાં દર દાયકામાં ૧૫ ટકાના દરે ઘટાડો થયો હોવાનું સંશોધનમાં જણાયું હતું. ધૂમ્રપાનમાં ઘટાડા સહિત સ્વસ્થ જીવનશૈલી તરફના લોકોનાં વલણને લીધે આ ઘટાડો નોંધાયો હતો.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જીવનશૈલીમાં ફેરફાર થાય તો લોકોને ડિમેન્શિયા થવાની શક્યતામાં મહત્ત્વનો ફેર પડે છે. આ પરિણામ ડિમેન્શિયાને અટકાવવા પર વધુ ધ્યાન આપવા જણાવે છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપમાં ૧૯૮૮થી ૨૦૧૫ વચ્ચે હાથ ધરાયેલા સાત અભ્યાસમાં ૫૯,૨૩૦ લોકોએ ભાગ લીધો હતો, તેમાંથી ૫,૧૩૩ લોકોને ડિમેન્શિયા થયો હતો.
