રવિવાર તા.૨૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ કોલીન્ડલમાં જૈન નેટવર્કને (નવા સેન્ટરનું બાંધકામ પૂર્ણ થાય એ દરમિયાન) બારનેટ કાઉન્સિલ તરફથી પાંચ વર્ષના લીઝથી ફાળવાયેલ નવી જગ્યા ફ્લાઇટ વેઝ રીસોર્સીસ સેન્ટર (RAFમ્યુઝિયમની સામે)ખાતે જીનેશ્વર ભગવંતોને અઢાર અભિષેક વિધિના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માટે મુંબઇ-ભારતથી જાણીતા વિધિકાર શ્રી નરેન્દ્રભાઇ વાનીગોટ્ટા પધાર્યા હતા. સ્થાનિક વિધિકાર શ્રી રમણભાઇ શાહના સહયોગથી આ વિધિ ભક્તિભાવ પૂર્વક શુધ્ધ મંત્રોચ્ચાર સહિત સંપન્ન થઇ હતી. ૧૮ પરિવારોએ એનો લાભ લઇ ધન્યતા અનુભવી. જૈન સેન્ટરના ચેરમેન CEO ડો.નટુભાઇ શાહે સ્વામિ વાત્સલ્યનો લાભ એમનાં ધર્મ પત્ની સ્વ.ભાનુબેનના સ્મરણાર્થે લીધો હતો. ધાર્મિક કમિટીના શ્રી વિજયભાઇ શેઠ, જયશ્રીબેન મોદી, પ્રફુલાબેન તથા અન્ય સેવાભાવી સ્વયંસેવકોના સહયોગથી આ અઢાર અભિષેક વિધિનો કાર્યક્રમ સફળ થયો હતો.