રેટિના આપણી આંખનો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે, જેને સામાન્ય ભાષામાં આંખનો પડદો પણ કહેવામાં આવે છે. તે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ આવરણ છે, આંખમાં પ્રવેશતો પ્રકાશ કોર્નિયા અને લેન્સમાંથી પસાર થઇને રેટિના સુધી પહોંચે છે ત્યારે રેટિના મગજને સંકેત મોકલે છે કે રેટિના પ્રત્યે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવાથી દ્દષ્ટિ ધૂંધળી થઇ શકે છે. અથવા તો અંધાપો પણ આવી શકે છે.
તકલીફ હોવાના સંકેત ક્યા?
• ચમકારા થવાઃ જો આંખોને ત્રાંસી કરીને ખૂણેથી જોવામાં આવે તો એક તીવ્ર પ્રકાશ દેખાશે. જો વારંવાર આંખો ધોવા છતાં પણ આ તકલીફ દૂર ન થાય તો આ રેટિનાની સમસ્યાનું લક્ષણ હોઇ શકે છે. આ સ્થિતિમાં ધૂંધળું કે ઝાંખુ દેખાવા લાગે છે.
• ડબલ વિઝનઃ ઘણી વાર તમને એક જ વસ્તુના બે વિઝન દેખાશે. આ બંને વિઝન એકબીજાને ઓવરલેપ થતાં જણાય છે. એમાં તમે જે વસ્તુ જોતાં હો અથવા વાંચતાં હો, તો એ ઘણી વાર ધૂંધળી પણ દેખાય છે.
• નંબર ઝડપથી વધવાઃ વય વધવાની સાથે ચશ્માના નંબર વધે તે સ્વાભાવિક છે, જો ચશ્માના નંબર ખૂબ ઝડપથી વધતા હોય તો સાવચેત થઇ જવાની જરૂર છે. બનવાજોગ છે. કે એ રેટિનામાં કોઇ સમસ્યાને કારણે વધતા હોય.
કોને થઇ શકે છે આવી સમસ્યા?
રેટિનાની સામાન્ય સમસ્યાઓ ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલી છે. ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર સાથે સંકળાયેલી છે. ડાયાબિટીસ આંખોમાં રોગ અને અંધાપાના મુખ્ય કારણોમાંનું એક છે. ડાયાબિટીસના દર્દીઓને મોતિયો વહેલો આવવાનું જોખમ રહે છે. એટલું જ નહીં, તેમના રેટિનાને પણ નુકસાન થવાની સંભાવના રહે છે. જે લોકોને લાંબા સમયથી ડાયાબિટીસની તકલીફ હોય, તેમનામાં રેટિનાની સમસ્યા થવાની સંભાવના એટલી જ વધારે હોય છે. ઉંમરની સાથે આંખોના રોગોમાં પણ રેટિનાની સમસ્યા ઊભી થવી તે સામાન્ય છે. ૭૦ વર્ષથી મોટી વયનાં દર ૨૦ વ્યક્તિઓમાંથી એકને આંખોમાં રેટિનાની સમસ્યા હોવાની શકે છે.