• પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે. • કાળાં મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. • હળદરનો ધુમાડો સૂંઘવાથી શરદી તરત જ મટે છે. • રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહીં) શરદી મટે છે. • કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે. • ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે. • ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે. • લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી, સળેખમ મટે છે. • સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણચાર તોલા જેવડી ગોળી બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે. • સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.