વિટામિન-ડી અને કેલ્શિયમના સેવનથી વર્ટિગોનો ખતરો ઓછો

Wednesday 09th December 2020 08:20 EST
 
 

સિઓલઃ દિવસમાં બે વખત વિટામિન-ડી અને કેલ્શિયમ લેનાર વ્યક્તિને વર્ટિગોની સંભાવના ઓછી જોવા મળે છે. એક સ્ટડી મુજબ વિટામિન-ડી અને કેલ્શિયમ શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. કાનનાં આંતરિક ભાગમાં બેનિંગ્ન પેરોક્સિમલ પોઝિશનલ વર્ટિંગો (બીપીપીવી) નામનું ડિસઓર્ડર પ્રવર્તે છે, જે માથાની સ્થિતિમાં પરિવર્તન લાવીને વ્યક્તિને જાણે તેની આસપાસ બધુ ફરતું હોય તેવો આભાસ કરાવે છે. જે તકલીફ એકાદ મિનિટ સુધી પણ ચાલુ શકે છે અને તેમાં ઊબકા પણ આવતા હોય છે. વર્ટિંગોની સ્થિતિમાં ડોક્ટર્સ વ્યક્તિનાં કાનમાં રહેલ પાર્ટિકલ્સને સ્થળાંતરિત કરવાનો પ્રયાસ કરે છે. નિષ્ણાતો કહે છે કે બીપીપીવીની તકલીફ રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડે છે અને ઉપચારમાં રોજિંદા જીવનમાં ખાંડ, ચોખા, બટાકા, સફેદ બ્રેડ જેવા ફૂડ બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. આની સામે તમે બ્રાઉન રાઈસ, મીટ, ફિશ, ફ્રૂટ્સ અને લીલાં શાકભાજીને રોજિંદા આહારમાં સમાવી શકો છો. કોરિયાની સિઓલ નેશનલ યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિસિનના ન્યૂરોલોજિસ્ટ જી-સૂ કિમ અને તેમની ટીમે બીપીપીવીના ૯૫૦થી વધુ દર્દીઓને બે જૂથમાં વિભાજિત કરીને અભ્યાસ કર્યો હતો, જેમાંથી એક જૂથનું વિટામીન-ડી લેવલ તપાસવામા આવ્યું હતું.


comments powered by Disqus