BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા શ્રાવણ માસમાં ૨૦ જુલાઈથી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ રાત્રે શ્રાવણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારાયણનું લાઇવ વેબકાસ્ટ sabha.baps.org પર કરવામાં આવી રહ્યું છે. તમામ હરિભક્તો લંડનના સમય અનુસાર સોમવારથી શનિવારે બપોરે ૩.૩૦ કલાકે અને રવિવારે બપોરે એક વાગ્યે તેનો ઓનલાઇન લાભ લઇ શકશે. આ ઉપરાંત, દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા દેશ-વિદેશમાં રહેતા હજારો લોકો લઈ રહ્યા છે. સાથે જ પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.