લદ્દાખના ગલવાન ખીણ વિસ્તારમાં ચીનની આર્મી સાથે થયેલા હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત ૨૦ જવાનો શહીદ થયાં હતાં. બોલિવૂડની અનેક સેલિબ્રિટિઝે આ શહીદોને અંજલિ અર્પી હતી.
અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક બ્લેક સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને શહીદો પ્રત્યે પોપ્યુલર સોંગ એ મેરે વતન કે લોગો ડેડિકેટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ઝરા આંખમે ભરલો પાની જો શહીદ હુએ હૈ ઉનકી ઝરા યાદ કરો કુરબાની. આપણા દેશના રક્ષણ માટે, આપણને સુરક્ષિત રાખવા માટે તેમણે તેમના પ્રાણોનું બલિદાન આપ્યું. ઇન્ડિયન આર્મીના ઓફિસર્સ અને જવાનોને સલામ.
અક્ષય કુમારે ટ્વિટર પર બે શહીદોના ફોટોગ્રાફ્સ શેર કર્યાં હતાં અને લખ્યું હતું કે, ગલવાન ખીણમાં આપણા બહાદુરોના મોતથી ખૂબ જ દુઃખ થયું દેશ માટે અમૂલ્ય સેવા માટે અમે હંમેશા માટે તેમના ઋણી રહીશું તેમના પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના.
વિકી કૌશલે ટ્વિટ કર્યું હતું કે, હું આપણા આ વીરોને સલામ કરું છેુ કે જે ગલવાન ખીણમાં બહાદુરીથી લડ્યા અને આપણા દેશના ગૌરવ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું તેમના પરિવારોને હું દિલથી સાંત્વન આપું છું. જય હિન્દ.
તાપસી પન્નુએ સંવેદના વ્યક્ત કરતાં ટ્વિટર પર લખ્યું હતું કે, આપણી કોરોના સામેની લડાઇ ઓછી હોય એમ આપણે હવે આપણા બહાદુરોને પણ ગુમાવવા પડ્યા છે! કોઇ પણ જવાન શહીદ થાય તો એ નુકસાનની ભરપાઇ કોઇના કરી શકે.
રકુલ પ્રીત સિંધે પણ ટ્વિટર પર જણાવ્યું હતું કે, ૨૦૨૦ વર્ષે આપણી સમક્ષ જે મુશ્કેલીઓ રજૂ કરી છે એના માટે મારી પાસે કોઇ શબ્દ નથી. ગલવાન ખીણમાં બહાદૂર જવાનો શહીદ થયા તે વધુ એક ઘાતક ન્યૂઝ મળ્યા. તેમના પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. દેશ તેમને સલામ કરે છે.