કોરોનાનો કેરઃ મુંબઈ - પૂણે - નાગપુર લોકડાઉન, ગુજરાતમાં ૭ પોઝિટિવ

Friday 20th March 2020 07:53 EDT
 
 

નવી દિલ્હી, મુંબઇ, અમદાવાદઃ ભારતભરમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના મહાનગર મુંબઈ - પૂણે અને નાગપુરને લોકડાઉન જાહેર કરાયા છે. તો હજુ હમણાં સુધી કોરોનાનો એક પણ કેસ ન ધરાવતા ગુજરાતમાં બે જ દિવસમાં ૭ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. આમાંથી ત્રણ કેસો અમદાવાદમાં, વડોદરામાં બે જ્યારે રાજકોટ તથા સુરતમાં એક-એક કેસ નોંધાયા છે. ભારતના ૨૦ રાજ્યોમાં કુલ ૨૨૩ પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે પાંચનાં મૃત્યુ થયાં છે. દેશમાં કોરોના વાઇરસનો જેમને ચેપ લાગ્યો છે તેમાંથી ૧૬૩ ભારતીય નાગરિક છે જ્યારે ૩૨ વિદેશી છે. કોરોનાનો ભોગ બનનાર લોકોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં છે, જ્યારે બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ છે. અત્યાર સુધીમાં દુનિયાના ૧૬૮ દેશોમાં અઢી લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે જ્યારે ૧૦ હજારથી વધુના મૃત્યુ થયા છે.

ભારતભરમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના મહાનગર મુંબઈ - પૂણે અને નાગપુરને લોકડાઉન જાહેર કરાયા છે. તો હજુ હમણાં સુધી કોરોનાનો એક પણ કેસ ન ધરાવતા ગુજરાતમાં બે જ દિવસમાં છ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. આમાથી ત્રણ કેસો અમદાવાદમાં જ્યારે રાજકોટ, સુરત, વડોદરામાં એક-એક કેસ નોંધાયા છે. ભારતના ૨૦ રાજ્યોમાં કુલ ૨૨૩ પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે પાંચનાં મૃત્યુ થયાં છે. દેશમાં કોરોના વાઇરસનો જેમને ચેપ લાગ્યો છે તેમાંથી ૧૬૩ ભારતીય નાગરિક છે જ્યારે ૩૨ વિદેશી છે. કોરોનાનો ભોગ બનનાર લોકોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં છે, જ્યારે બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ છે. અત્યાર સુધીમાં દુનિયાના ૧૬૮ દેશોમાં અઢી લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે જ્યારે ૧૦ હજારથી વધુના મૃત્યુ થયા છે.

કોરોના વાઇરસની બીમારીથી સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે બપોરે મુંબઇ - પૂણે - નાગપુર - પીંપરી અને ચિંચવડને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યની તમામ દુકાનો અને ઓફિસો ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. સરકારી કચેરીઓમાં પણ ફક્ત ૨૫ ટકા કર્મચારીઓ જ કામ કરશે. જોકે તેમણે કહ્યું હતું કે મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન અને બસ સેવા ચાલુ રહેશે.

ગુજરાતમાં ૭ પોઝિટિવ કેસો

ગુજરાતમાં જે ૭ પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં બે દર્દી લંડનથી, એક મક્કા-મદીનાથી, એક ફિનલેન્ડથી, એક અમેરિકાથી તેમજ એક સ્પેનથી પરત ફરેલો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં બે અને વડોદરા - રાજકોટ - સુરતમાં એક-એક કેસ નોંધાયા છે. તેમણે કહ્યું હતું કે, આ દર્દીઓની વિદેશમાં અવરજવર રહી છે.
જયંતી રવિએ કહ્યું હતું કે, કુલ ૧૫૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે પૈકી ૧૨૩ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ૨૨ રિપોર્ટ હજી આવવાના બાકી છે. રાજ્યમાં પરદેશથી આવેલા ૫૫૯ પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી છે અને ૪૯૯ને ઘરે ક્વોરેન્ટીનમાં રખાયા છે. આ ઉપરાંત ૬૩ પ્રવાસીઓને ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે પરદેશથી આવેલા લોકોનાં ઘરે ૧૪ દિવસ સુધી દેખરેખ રાખવામાં આવશે. અમદાવાદના કમિશનર વિજય નહેરાએ આગામી ૩૧ માર્ચ સુધી પાન-મસાલાની તમામ દુકાનો, જિમ, પાર્ટી પ્લોટ બંધ કરવાની જાહેરાત કરી છે તથા થૂંકવા પરનો દંડ રૂ. ૫૦૦થી વધારીને ૧૦૦૦ કરી દેવાયો છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાનિક પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે સુરતના દરદીએ લંડનનો પ્રવાસ ખેડ્યો હતો, તેમના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. નીતિન પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી હતી અને સારવારની માહિતી આપી હતી. તેમણે દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનાં નામની યાદી મેળવી ચકાસણી કરાઈ રહી હોવાની માહિતી આપી હતી.

મોદીની જનતા કરફ્યુની અપીલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ૨૨ માર્ચ રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. કોરોનાના હરાવવા વડા પ્રધાને ૧૩૦ કરોડ દેશવાસીઓને સંકલ્પને મજબૂત કરવા અને કેન્દ્ર - રાજ્ય સરકારોના દિશાનિર્દેશોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. મોદીએ રવિવાર સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કોરોના વાઇરસ વિરુદ્ધના જંગના ભાગરૂપે જનતા કર્ફ્યુની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે હું વિનંતી કરું છું કે આગામી સપ્તાહો દરમિયાન લોકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે.


    comments powered by Disqus