કોરોના મહામારી વચ્ચે બંગાળ અને નજીકના વિસ્તારમાં એમ્ફાન વાવાઝોડાથી જનજીવન ખોરવાયું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તાર માટે શાહરુખ ખાને ૫૦૦૦ વૃક્ષો ઉગાડવાની સાથેની કેટલીક આર્થિક અને અન્ય મદદ જાહેર કરી છે. ઈન્ડિયન પ્રિમિયર લિગની એક ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મીર ફાઉન્ડેશન મારફતે શાહરુખે આ સહાય જાહેર કરી છે. કેકેઆર સાથે સંકળાયેલા લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને જરૂરી રાશન અને વસ્તુઓ પૂરી પાડશે
શાહરુખે એક પોસ્ટમાં લખ્યું છે કે, મારા માટે કોલકત્તા એક શહેરથી વિશેષ છે. તે એક લાગણી છે. મેં ત્યાં દોસ્તી જોઈ છે. મને ત્યાંથી પ્રેમ અને ખુશી મળી છે, પણ તે બધાથી ઉપર મને ત્યાં એક્તા અને સંગઠનનું મહત્ત્વ સમજાયું છે. ઈડન ગાર્ડનમાં સારા અને ખરાબ દિવસો બંને હતા, પણ દિવસને અંતે અમે બધા સ્ટેડિયમમાં સાથે મળીને કોરબો લોરબો જીતબોની આશા સાથે ઊભા રહેતા. આજે જ્યારે આ વિસ્તાર પર કપરી પરિસ્થિતિ આવી છે ત્યારે મારા અનુભવોએ મને શીખવ્યું છે કે સાથે મળીને રહેવાથી તાકાત મળે છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ એમ્ફાનથી અસરગ્રસ્ત પામેલ લોકોની મદદ માટે તૈયાર છે.